Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેરની પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો

વાંકાનેરની પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો

વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે રહેતા જાનકિબેન રજનીભાઈ વોરા નામના ૩૩ વર્ષીય પરિણીતાએ ગત તા.૧૫/૦૩/૨૦૨૨ ના રોજ પોતાના ઘરે ગળેફાસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જેની પરિવારજનોને જાણ તથા તાત્કાલિક સારવાર અર્થે ગંભીર હાલતમાં ગોકુલ હોસ્પીટલ રાજકોટ ખાતે ખસેડાયા હતા જ્યા તેણીનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું આ અંગે પોલીસને જાણ કરાતા વાંકાનેર સિટી પોલિસે અપમૃત્યુની નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વાંકાનેરના વઘાસીયા નજીક અજાણ્યાં વાહનની ઠોકરે બાઈક ચાલક ઘવાયો

વાંકાનેર તાલુકાના પંચાસીયા ખાતે રહેતા સંજયભાઈ જીવરાજભાઈ ચૌહાણ નામનો 26 વર્ષીય યુવાન પોતાનું નં. GJ-36-Q-9194 નું બાઈક ચલાવી વાંકાનેરથી પંચાસીયા જતો હતો. આ દરમિયાન વઘાસિયા પહેલા રોડ પુરપાટ વેગે આવતા અજાણ્યાં વાહન ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દઈ સંજયભાઇને અડફેટે લીધા હતાં આ અકસ્માતમાં બાઈકચાલક યુવાન રોડ પર પટકાતા માથામાં હેમરેજ થયું હતું ઉપરાંત શરીરમાં અનેક નાની મોટી ઇજા થઇ હતી.જેને પગલે તેઓને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ રીફર કરાયા હતા. અકસ્માત સર્જી આરોપી વાહન ચાલક નાશી છૂટતા સંજયભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!