Friday, May 10, 2024
HomeGujaratમોરબીના ખાખરાળામાં વીજ શોકથી યુવાનનું મોત, અમરેલીમાં સર્પ દંશથી યુવતીનું મૃત્યુ

મોરબીના ખાખરાળામાં વીજ શોકથી યુવાનનું મોત, અમરેલીમાં સર્પ દંશથી યુવતીનું મૃત્યુ

મોરબી પંથકમાં અપ મૃત્યુના બે બનાવો સામે આવ્યા છે જેમાં ખાખરાળા ગામે કારખાનમાં વીજ શોક લાગતા યુવાનનું અને અમરેલીમાં સર્પ દંશથી યુવતીનું મોત નિપજ્યાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં વાડીએ કામગીરી દરમિયાન મનીષાબેન મોહનભાઇ વ્યાસ (ઉ.વ.૧૮)ને સાપ કરડી જતા ઝેરી અસર થવા પામી હતી જેથી તેઓને સારવાર અર્થે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જ્યાં વધુ સારવારની જરૂર જણતા રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાંનું સામે આવ્યું છે.

અન્ય એક બનાવમાં મોરબી તાલુકાના ખાખરાળા ખાતે આવેલ ઉમા ઈન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામગીરી દરમિયાન અકસ્માતે ઇલેક્ટ્રોનિક શોક લાગતા દિનેશભાઈ કેરમસીંહ કલેશ (ઉ.વ.૨૨)વાળાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!