Thursday, April 25, 2024
HomeGujaratમોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પૈસાની ઉધરાણી બાબતે યુવાન પર છરી વડે હુમલો

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પૈસાની ઉધરાણી બાબતે યુવાન પર છરી વડે હુમલો

બનાવની મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ત્રાજપર ગામ નજીક રહેતા અમિતભાઈ લાભુભાઈ વરાણીયા (ઉ.વ.૨૧) એ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ જયદીપભાઈ આરોપી વસીમ યુનુસભાઈ પલેજા (રહે. કાંતિનગર) વાળા પાસે પૈસા માંગતો હોય જેની ઉધરાણી કરતા આરોપીએ ફરિયાદી અમિતભાઈ તથા સાથેનાં વ્યક્તિને ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી આરોપી વસીમ પલેજાએ પોતાની પાસે રહેલ છરીનો એક ઘા ફરિયાદી અમિતભાઈને જમણા પડખામાં મારી ઈજા કરી તથા શરીરે મુંઢ ઈજાઓ કરી હતી. બનાવની ફરિયાદનાં આધારે મોરબી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!