વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં ટી.સી.ના જમ્પરમાં ડીઓ બદલતી વખતે અકસ્માતે વીજ શોક લાગતા ૨૪ વર્ષીય યુવકનું મોત થયું હતું.
સરધારકા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રાજેશભાઈ છનાભાઈ દેથળીયા ઉવ.૨૪ રહે.રામપરા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર વાળા ટી.સી.ના જમ્પરમાં ડીઓ બદલાવી રહ્યા હતા ત્યારે અકસ્માતે વીજ શોક લાગ્યો હતો. બનાવમાં તેમનું મોત થતાં વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.






