Tuesday, April 30, 2024
HomeGujaratમાળીયા(મી.) ના દસ ગામોમાં આવતીકાલે સર્વ જ્ઞાતિનાં લોકો માટે કોરોના રેપીડ ટેસ્ટ...

માળીયા(મી.) ના દસ ગામોમાં આવતીકાલે સર્વ જ્ઞાતિનાં લોકો માટે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાશે

મોરબી-માળીયા વિસ્તારમાં ઉદ્યોગ સાથે સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા અગ્રેસર રહેતી જયદીપ એન્ડ કંપનીના દિલુભા જાડેજા તથા અશ્વિનસિંહ જાડેજા દ્વારા વવાણીયા અને તેની આસપાસ દેવગઢ, જાજાસર, ભાવપર, બગસરા, ચમનપર, વરસામેડી, ન્યુ નવલખી, જુમ્માવાડી સહિતના દસ ગામોમાં ફ્રી કોવિડ રેપિડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આવતીકાલે તા. ૨૭ એપ્રિલના રોજ પહેલા રાઉન્ડમાં સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યે ભાવપર, બગસરા, વરસામેડી, ચમનપર અને ન્યુ નવલખી ખાતે, બપોરે ૨:૦૦ થી ૪:૦૦ વાગ્યે જાજાસર અને દેવગઢ ખાતે તેમજ સવારે ૯:૦૦ થી ૨:૦૦ વાગ્યે વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને લક્ષ્મીવાસ ખાતે તથા બપોરે ૨:૦૦ થી ૩:૦૦ વાગ્યે જુમ્માવાડી જેવા વિસ્તારોમાં અલગ-અલગ આરોગ્યની ટીમ સાથે રુટ બનાવી ફ્રી રેપિડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો બહોળી સંખ્યામાં દરેક ગ્રામજનોએ લાભ લેવા જયદીપ કંપનીના દિલુભા જાડેજા દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!