Friday, October 18, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

વાંકાનેર : લાકડધાર ગામની સીમમાં કુવામાંથી તરૂણની લાશ મળી

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાનાં લાકડધાર ગામની સીમમાં રાજુભાઈની વાડીમાં કુવામાંથી ગઈકાલે વિક્રમભાઈ અરવિંદભાઈ સંગાલા (ઉં.વ.૧૬) ની લાશ મળી આવી હતી. પોલીસે બનાવ અંગે નોંધ કરી મૃતકની ડેડબોડીને પીએમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

હળવદ : કવાડીયા ગામની સીમમાં કેનાલમાં ડુબી જતાં યુવાનનું મોત

હળવદ તાલુકાનાં કવાડીયા ગામની સીમમાં નર્મદા કેનાલનાં પાણીમાં હાથ પગ ધોવા જતાં પગ લપસી જતાં કેનાલમાં પડી જતાં ડુબી જવાથી દીપકભાઈ માદેવભાઈ ચારોલા (ઉં.વ.૨૮) નામનાં યુવાનનું મોત નિપજ્યું હતું. હળવદ પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી : કમળાની બીમારીનાં કારણે યુવતીનું મોત

મુળ કાનપુર યુપીની વતની અને હાલ મોરબી તાલુકાના ઉંચીમાંડલ ગામે સોકેરા સીરામીકમાં રહેતી ચિત્રાબેન નિરજભાઈ પાંડે (ઉં.વ.૨૭) નું કમળાની બીમારી સબબ ગઈકાલે મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!