Tuesday, April 30, 2024
HomeGujaratવાંકાનેરમાં પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાનો આપઘાત કરવા પ્રયાસ : ફરિયાદ નોંધાઈ

વાંકાનેરમાં પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાનો આપઘાત કરવા પ્રયાસ : ફરિયાદ નોંધાઈ

બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નમીરાબેન સોયેબભાઇ ઉર્ફે સની બ્લોચ (ઉવ.૨૨, રહે.ભાટીયા સોસાયટી,મસ્જીદ પાછળની શેરી, ચંદ્રપુર તા.વાંકાનેર)એ તેના પતિ સોયેબભાઇ ઉર્ફે સની અલીમહંમદભાઇ બ્લોચ તથા સાસુ મુમતાઝબેન અલીમહંમદભાઇ બ્લોચ (રહે. બંને ભાટીયા સોસાયટી, મસ્જીદની પાછળની શેરી, ચંદ્રપુર તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૮ ના રોજ ફરીયાદીને તેના ચાર વર્ષના દાંપત્યજીવન દરમ્યાન તેણીના પતિ તેમજ સાસુ મુમતાઝબેન અલીમહંમદભાઇ બ્લોચએ ત્રાસ આપી તેમજ આરોપી પતિ કોઇ સ્ત્રી સાથે પ્રેમસંબંધ ધરાવતો હોય તેવી ફરીયાદીને શંકા હોય તે બાબતે બન્નેએ બોલાચાલી કરી માનસીક શારીરિક દુ:ખ ત્રાસ આપતા તેમજ ફરીયાદીને આરોપીઓે તુ ગમતી નથી તારા માવતરે જતી રહે તેવુ કહેતા ફરીયાદીને મનમા લાગી આવતા ફરીયાદીએ પોતાની જાતે ઝેરી દવા પીને આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!