મળતી માહિતી અનુસાર, મુળ ગાંગરડી ગામ તા.ધાનપુર જી.દાહોદના રહેવાસી હાલ
ટંકારાના મેઘપર ઝાલા ગામે સહદેવસિંહ બાપુભાની વાડીએ પરિવાર સાથે રહેતા અક્ષય ઉર્ફે છોટીયો ઇશ્ર્વરભાઇ પસાયા ઉવ.૧૪ નું વીજશોક લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું, જે બનાવ બાબતે મૃતકના મોટાભાઈએ આપેલ વિગતો મુજબ, મરણજનારના ભાઈ મહેશભાઈએ સહદેવસિંહ બાપુભા ઝાલાની જમીન ભાગમા વાવવા રાખેલ હોય, જેમા મરણજનાર પોતાના ભાઈને ખેતી કામમાં મદદ કરવા, વાડીની ઓરડીમાથી લાઇટનુ વાયરીંગ બહાર કાઢી એલ.ઇ.ડી લેમ્પ ચાલુ કરવા જતા અક્ષયભાઈને ઇલેક્રટ્રીક શોર્ટ લાગતા તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, ટંકારા પોલીસે સ્થળ ઉપર પહોંચી બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.