Thursday, June 26, 2025
HomeGujaratહળવદ: ચરાડવાના પ્રસિદ્ધ મહાકાળી આશ્રમમાં બે દાનપેટીની ચોરીની ફરિયાદ નોંધાઈ.

હળવદ: ચરાડવાના પ્રસિદ્ધ મહાકાળી આશ્રમમાં બે દાનપેટીની ચોરીની ફરિયાદ નોંધાઈ.

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં વધુ એકવાર ચોરીનો બનાવ સામે આવ્યો છે, આશ્રમમાં આવેલ કાળભૈરવ મંદિર અને મહાદેવ મંદિર બહાર રાખવામાં આવેલ દાનપેટી કોઈ અજાણ્યા તસ્કર દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા, પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

 

મહાકાળી આશ્રમમાં ચોરી અંગેની મળતી વિગતો અનુસાર, ચરાડવા સ્થિત મહાકાળી આશ્રમમાં આવેલ કાલભૈરવના મંદિરની નાની દાનપેટી અને મહાદેવ મંદિરની મોટી દાનપેટી એમ બે દાનપેટીની ચોરી થયાના બનાવમાં ગઈ તા.૨૩/૦૬ ના રાત્રીના ૧૦:૩૦ થી તા.૨૪/૦૬ ના સવારના ૪ વાગ્યા સુધીના સમયગાળા વચ્ચે કોઈ અજાણ્યા ચોર ઈસમો આશ્રમમાં પ્રવેશ કરી બન્ને મંદિરની દાનપેટી-૨ જેમાં આશરે રૂ.૫૨,૦૦૦/- ની ચોરી કરીને લઈ ગયા હોય ત્યારે ચોરીના બનાવ અંગે મોરબી-૨ ગિરિરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા ઉવ.૩૩ ની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!