Wednesday, October 23, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં ટી.બી.ના એક્ટીવ કેસો શોધવાની કામગીરીનો પ્રારંભ કરાયો

મોરબી જીલ્લામાં ટી.બી.ના એક્ટીવ કેસો શોધવાની કામગીરીનો પ્રારંભ કરાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૨૫ સુધીમાં ભારતને ટી.બી. મુક્ત કરવા માટે આહવાન કરેલ છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૨ સુધીમાં ટી.બી. રોગ નીર્મૂલન કરવાનું નિયત કરેલ છે ત્યારે આ હેતુંને સિધ્ધ કરવા માટે મોરબી જિલ્લામાં ૨૬/૦૩/૨૦૨૧ સુધી લોકોના ઘરે ઘરે જઈ ટી.બી.ના એક્ટીવ કેસ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.જે અંતર્ગત મોરબી શહેરના અર્બન હેલ્થ સેન્ટર સો-ઓરડી ખાતે આ વિસ્તારના આગેવાન સુરેશભાઈ શિરોહીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરી એક્ટીવ કેસ ફાઈન્ડીંગ સર્વે કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં અર્બન મેડિકલ ઓફીસર રીયાઝ, ટી.બી.પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોષી, ટી.બી.હેલ્થ વિઝીટર કલ્પેશભાઈ પાટડીયા આશા બહેન હેમલતાબેન ગોસાઈએ હાજર રહી સર્વે કામગીરીને વેગવંતી બનાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!