મોરબીના ભડીયાદ રોડ વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષીય યુવકનું મકનસર ગામ પાસે આવેલા મચ્છુ ડેમમાં નાહવા ગયો હોય તે દરમિયાન પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીના જવાહર સોસાયટી, ભડીયાદ રોડ વિસ્તારમાં રહેતા કેતનભાઈ રઘુભાઈ જોગડિયા ઉવ.૧૮ ગઈકાલ તા.૧૦/૦૬ને બુધવારે બપોરે મકનસર ગામ પાછળ આવેલા મચ્છુ ડેમમાં નાહવા ગયા હતા. દરમિયાન તેઓ પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં યુવકને બહાર કાઢી મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ ઉપર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.






