Wednesday, April 24, 2024
HomeGujaratહળવદમાં જૂની અદાવતનો ખાર રાખી પરિવાર પર ચાર ઈસમોએ હુમલો કર્યો

હળવદમાં જૂની અદાવતનો ખાર રાખી પરિવાર પર ચાર ઈસમોએ હુમલો કર્યો

હળવદમાં જૂની અદાવતમાં ફરી લોહી રેડાયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં હળવદ ખાતે રહેતા યુવકને ઈસમ સાથે અગાઉ ઝગડો થયેલ હતો. જેનો ખાર રાખી ઈસમે તેના અન્ય ત્રણ સાથીઓ સાથે મળી યુવક તથા તેના પરિવાર પર લાકડાના ધોકાઓ વડે હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદનાં શનીદેવ મંદીર પાસે રહેતા જગદીશભાઇ ભનુભાઇ વાણસકીયાને મનાભાઇ મોહનભાઇ બાવાજી સાથે અગાઉ સામાન્ય ઝઘડો થયેલ હોય જેનુ મનદુ:ખ રાખી મનાભાઇ મોહનભાઇ બાવાજી, સનાભાઇ મોહનભાઇ બાવાજી, ભરતભાઇ ધુળાભાઇ બાવાજી તથા પ્રભુભાઇ ભરતભાઇ બાવાજી (રહે બધા-હળવદ વડવાળા કાંટાની પાછળ તા-હળવદ) નામના આરોપીઓએ હાથમાં લાકડાના ધોકા લઈ આવી ફરીયાદીને ગાળો આપી લાકડાના ધોકાથી ફરીયાદીને તથા ફરીયાદીના દિકરાને તથા દિકરાની પત્નીને તથા દિકરીને શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડી તથા ફરીયાદીના દિકરાની પત્નીને કપાળથી ઉપર મારી ઇજા કરી પહોંચાડતા સમગ્ર મામલે જગદીશભાઇએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!