Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં કુમકુમ તિલક કરી બોર્ડના પરિક્ષાર્થીઓને અવકારાયા

મોરબીમાં કુમકુમ તિલક કરી બોર્ડના પરિક્ષાર્થીઓને અવકારાયા

મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે સુચારુ વ્યવસ્થા સાથે એસ.એસ.સી. અને એચ. એસ. સી. બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની ગણાતી ધો.10 અને 12 ના બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે અને આજે ધોરણ 10માં પહેલું પેપર ગુજરાતીનું છે. ત્યારે સાર્થક વિદ્યામંદિર ખાતે દરેક વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મીઠાઈ ખવડાવીને ઉમદા સ્વાગત કરવામાં આવ્યું હતું.દરેક વિદ્યાર્થીઓને પોતાના સીટ નમ્બર આસાનીથી મળી જાય અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તકેદારી લેવામાં આવી હતી. આ ઉપરાંત ચોરીના દુષણને ડામવા પણ પૂરતા સ્ટાફ અને સ્કોર્ડ ની વ્યવસ્થા કરાઈ છે.આ તકે પ્રાંત અધિકારી ઝાલાભાઈ તેમજ ઇન્ડિયન લાયન્સ ક્લબના સભ્યો હાજર રહીને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -
- Advertisement -

રવાપર રોડની નીલકંઠ વિદ્યાલય માં આજે દરેક વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મીઠાઈ ખવડાવીને ઉમદા સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓને પોતાના સીટ નંબર આસાનીથી મળી જાય અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તકેદારી લેવામાં આવી હતી.આ તકે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી સાહેબ,નીલકંઠ વિદ્યાલય ના મૅનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સ્થળ સંચાલક નવીનભાઈ ઝાલરિયા વગેરે સભ્યો હાજર રહીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માં ઉત્કૃષ્ટ સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!