Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાનના ઘરમાં ઘુસી તોડફોડ કરાઈ

વાંકાનેરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાનના ઘરમાં ઘુસી તોડફોડ કરાઈ

વાંકાનેર શહેરના આરોગ્યનગર મેઇન રોડ પર રહેતા યુવાનના ઘરમાં ધારીયા સહિતના હથિયારો સાથે ઘુસી બે ઈસમોએ તોડ ફોડ અને યુવાનને મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. આ બાવની વધુ તપાસ વાંકાનેર પોલીસ ચલાવી રહી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેરમાં રહેતા ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલા નામના ૩૭ વર્ષીય યુવાનને પાંચ વર્ષ અગાઉ આરોપી રાજદિપસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના પિતા સાથે ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી આરોપી રાજદિપસિંહ અને જયેન્દ્રસિંહ (રહે.વાંકાનેર આરોગ્યનગર) બન્ને શખ્સોએ ગીરીરાજસિંહ સાથે બેફામ વાણી વિલાસ આચાર્યો હતો. ત્યારબાદ રાજદિપસિંહે યુવાનના મકાનમા ઘુસી ધારીયુ તથા પથ્થર સાથે આવી ધારીયાથી ઘરની ચીજ વસ્તુ તથા બારીને તથા એક્ટીવા બાઇકને નુકશાન કર્યું હતું તેમજ પથ્થર વડે નળીયા ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનવને લઈને ગીરીરાજસિંહે બન્ને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!