Friday, March 29, 2024
HomeGujaratમોરબી : પ્રભુકૃપા ટાઉનશીપમાં રીક્ષાચાલક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો, ફરિયાદ નોંધાઈ

મોરબી : પ્રભુકૃપા ટાઉનશીપમાં રીક્ષાચાલક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો, ફરિયાદ નોંધાઈ

મોરબીના સામાકાંઠે રામકૃષ્ણ નગર માં રહેતા જયદીપ ભીખુભાઇ કોટકએ આરોપી નરવત રામસિંગ નાયક તથા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે તેનો ભાઈ રાજુભાઈ રીક્ષા ચલાવે છે તે ગત તા. ૨નાં રોજ રાત્રીના આશરે સવા નવેક વાગ્યાનાં સમયે પોતાની રીક્ષા નં. જીજે-૩૬-યુ-૬૯૨૫ વાળી લઈને મહેન્દ્રનગર નજીક આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં ફેરો કરવા ગયા હોય ત્યારે ત્યાં આરોપી નરવત રામસિંગ નાયક થતા બે અજણાયા માણસો સાથે કોઈ બાબતે ઝગડો થતા આ ત્રણેય શખ્સોએ રિક્ષાચાલકને સળીયા વડે છાતી-પેટ તેમજ માથાના ભાગે માર મારતા રાજુભાઈને બ્રેન હેમરેજ તથા ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી છે. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ મથકનાં પીઆઈ વી. એલ. પટેલ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!