Thursday, April 25, 2024
HomeNewsWakanerમોરબીનું સુપ્રસિદ્ધ માટેલ ધામ ફરી શરૂ : નવરાત્રી દરમ્યાન ભાવિક ભક્તો માટે...

મોરબીનું સુપ્રસિદ્ધ માટેલ ધામ ફરી શરૂ : નવરાત્રી દરમ્યાન ભાવિક ભક્તો માટે ઉતારા અને પ્રસાદ વ્યવસ્થા શરૂ કરાઈ

કોરોના કાળ દરમિયાન મોરબીના વાંકાનેર તાલુકાનું સુપ્રસિદ્ધ માટેલ ધામ ફક્ત દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું જેને હવે યાત્રીકો માટે પણ શરૂ કરી દેવતા ભક્તોમાં આનંદ ની લાગણી છવાઈ ગઈ છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના યાત્રાધામ માટેલ ખાતે આગામી નવરાત્રી મહોત્સવ માં બાળાઓ દ્વારા પરંપરાગત માતાજીની આરાધના સ્વરૂપે ગરબે રમશે તથા દર્શને આવતા તમામ યાત્રાળુઓ માટે ઉતારા તથા પ્રસાદની વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવી છે. માટેલ મંદિર ખાતે નવરાત્રી દરમ્યાન રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી નાની બાળાઓ ગરબા લઈને માતાજી ની આરાધના કરશે તેમજ કોરોના વાયરસ ને પગલે સરકારના જાહેરનામા મુજબ દર્શનાર્થીઓ માટે ઉતારા તથા પ્રસાદ ની વ્યવસ્થા બંધ કરી હતી તે બહારગામ થી આવતા યાત્રિકો માટે પુનઃ ઉતારા તથા મહાપ્રશાદ ની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે.
ખોડિયાર માતાજી મંદિર માટેલ ધરા ખાતે આસોં માસ ના નવલા માતાજી ના નોરતા માં નવ દિવસ નવરાત્રી દરમ્યાન આઇશ્રી ખોડિયાર માતાજી ના પાવન સનમુખ નાની બાળાઓ ગરબે ઘૂમશે તથા આરાધના કરશે તેમજ સવાર સાંજ માતાજી ની નવ દિવસ ઢોલ નગારા ના ધેરા નાદ થી મહા આરતી કરવામાં આવશે. નવરાત્રી દરમ્યાન બહાર ગામ ના યાત્રિકો ને ઉતારા ની સગવડ પણ કરી આપવામાં આવશે. માટેલ આવતા દરેક ભક્તજનો ને સોશિયલ ડીશટનટ રાખવાનું રહેશે તેમજ માસ્ક પહેરીને દર્શન કરવાનું ફરજિયાત રહેશે તેમ મહંત શ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા દ્વારા જણાવાયું છૅ

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!