Tuesday, April 30, 2024
HomeGujaratહળવદ માં ભગવાન શ્રીરામ જન્મોત્સવ ઉજવવા અનોખી રીતે કરાઈ તૈયારીઓ

હળવદ માં ભગવાન શ્રીરામ જન્મોત્સવ ઉજવવા અનોખી રીતે કરાઈ તૈયારીઓ

ભગવાન શ્રીરામ જન્મોત્સવ ઉજવવા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા પુરુષોત્તમ ભગવાન શ્રી રામલ્લાની વિશાળ શોભાયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૭ ને બુધવારના રોજ ભગવાન શ્રીરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા સમગ્ર હળવદ શહેરમા ધ્વજા પતાકા, બેનર અને રોશનીથી શણગારી અયોધ્યા નગરીમા પરીવર્તિત કરવામાં આવ્યું છે. શહેરમાં સૌથી વિશાળ અને ભવ્ય શોભાયાત્રા ખૂબ જ આકર્ષિત ફોલ્લોટો સાથે ડીજેના તાલે ભગવા ધ્વજ સાથે શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન શ્રીરામના નગર દર્શને હિંદુ ધર્મને માનનારા લોકો એક નેજા હેઠળ એકઠા થઈ વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર યોજવાનુ આગોતરા નક્કી થયા મુજબ આયોજન કરાયુ છે.

- Advertisement -
- Advertisement -

ભગવાન શ્રી રામ નો જન્મદિવસ આગામી બુધવારે ચૈત્રી નોમ ના દિવસે આવતો હોવાથી પાંચેક દિવસથી શહેરને ધ્વજા પતાકા લહેરાવી બજારો, મુખ્ય માર્ગો ઉપર શ્રીરામ જન્મોત્સવ ઉજવવાના બેનરો લગાવી અને શ્રીરામ મંદિરની પ્રતિકૃતિના બેનરો સુશોભિત કરવામાં આવતા હળવદમાં અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરી દેવાયો છે. રામ નવમી નિમિતે શ્રીરામ ના જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર યોજવામાં આવશે. રામલલ્લાનો જન્મોત્સવ ઉજવણી યાદગાર બનાવી ભવ્ય ઉજવણી કરવાનો સુર આયોજકો દ્વારા વ્યક્ત કરાયો છે. જન્મોત્સવના પૂર્વ દિવસે વિશાળ રેલીનું આયોજન કરાયુ છે. પૂર્વ સંધ્યાએ દરેક ઘરોમા આસોપાલવના તોરણ બાંધી ઘરે ઘરે દિવડા પ્રગટાવી ઉજવણીની ઝાંખી કરવામાં આવશે. તેમજ ઉજવણીની રાત્રે સરસ્વતી શિશુમંદિર ખાતે જગદીશભાઈ ત્રિવેદીનો રામ દરબારના ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાનો પ્રારંભ લક્ષ્મીનારાયણ મંદીરથી થશે મેઈન બજારથી સરા નાકું, ધાંગધ્રા દરવાજા, સહિતના શહેરના મુખ્ય માર્ગ પર થઈ વૈજનાથ મંદિરે મહાઆરતી બાદ પૂર્ણ થશે. શોભાયાત્રા રૂટમા ઠંડાપીણા, સરબત સહિત વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ બજરંગ દળ હળવદ પ્રખંડ તેમજ આ સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ ,ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઠક્કર, સંયોજક કમલેશભાઈ પટેલ તથા કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રાના સાક્ષી બની રામલ્લાના આશિર્વાદ પ્રાપ્ત કરવા શહેરીજનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!