Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર : કેરાળા ગામે 'તારા પિતાને મકાન કેમ વેચવા દેતો નથી' તેમ...

વાંકાનેર : કેરાળા ગામે ‘તારા પિતાને મકાન કેમ વેચવા દેતો નથી’ તેમ કહી બે ઈસમોએ યુવાનને માર મારી ધમકી આપી

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના સરતાનપર ગામે રહેતા ઉકાભાઈ લાખાભાઈ બાંભવાએ આરોપીઓ ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવા અને લાખાભાઇ ગોવિંદભાઈ બાંભવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ઉકાભાઈ કેરાળા ગામે મકાન ધરાવતા હોય જે મકાન બીપીએલ યોજનામાં મળેલું હોય તે મકાન ફરિયાદીએ તેના પિતાને મકાન વેચવાની ના પાડતા આરોપીઓએ તું તારા પિતાને મકાન કેમ વેચવા દેતો નથી તેમ કહેતા ફરિયાદીએ મકાન વેચી શકાય નહિ જેથી મારે મકાન વેચવું નથી તેમ કહેતા સારૂ ન લાગતા આરોપીઓ ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવા તથા લાલાભાઈ ગોવિંદભાઈ બાંભવાએ બેફામ ગાળો કાઢી લાકડી વતી માર મારી શરીરે મુંઢ ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર સીટી પોલીસે બનાવની ફરિયાદનાં આધારે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!