વાંકાનેર તાલુકાના બોકડથાંભા ગામે પાણી ભરેલ ખાણમાં ડૂબી જતાં એક યુવકનું મોત નિપજ્યા અંગેના બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.
અપમૃત્યુ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, વાંકાનેર તાલુકાના બોકડથાંભા ગામે રહેતા શૈલેષભાઇ જેરામભાઇ સરાવાડીયા ગત તા.૨૬/૦૫ ના રોજ કોઇ કારણોસર બોકડથંભાથી એક કીમી દુર આવેલ ખાણના પાણીમા ડુબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






