Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર નજીક મળેલ મૃતદેહ મામલે ખુલાસો:રૂપિયાની લેતી-દેતી બાબતે યુવકની ગળું કાપી હત્યા...

વાંકાનેર નજીક મળેલ મૃતદેહ મામલે ખુલાસો:રૂપિયાની લેતી-દેતી બાબતે યુવકની ગળું કાપી હત્યા કરી લાશને ફેંકી દેવાઈ

સીરામીક ઉદ્યોગોનો હબ ગણાતો મોરબી જિલ્લો ગુનેગારોનું હદ બનતુ હોય તેમ લાગી રહ્યુ છે. કેમ કે રૂપિયાની લેતી દેતી બાબતે એક બાદ એક ગુનાહીત ઘટના સામે રહી છે. ત્યાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રાજકોટનાં શખ્સની વાંકાનેર નજીક રૂપિયાની લેતી-દેતી બાબતે થયેલ ટકરારમાં ગળું કાપી હત્યા નિપજાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટની રૈયાચોકડી પડે રહેતા રાજુકુમાર જીવલાલ પ્રજાપતી નામનો યુવક જીતેન્દ્રસીંહ ઉર્ફે જેકીભાઇ મંગલસીંહ રાજપુત (રહે.દોહઇ થાના-રોન જી.ભીંડ એમ.પી.) પાસે પૈસા માંગતો હોય જે પૈસાની લેતીદેતી બાબતે આરોપી સાથે રાજુકુમાર પ્રજાપતીને બોલાચાલી બાદ જગડો થતા આરોપીએ પોતાના પાસેની છરીથી યુવકને ગાળાના ભાગે છરી મારી દઈ યુવકની હત્યા નિપજાવી તેના મૃતદેહને વાંકાનેર બાઉન્ડ્રી નેશનલ હાઇવે રોડની ગોલાઇની ઝાડીમાં ફેંકી દીધો હતો. ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસને આ મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇ તેઓએ મૃતકની ઓળખ મેળવવા તેમજ ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન તેઓએ એક બાદ એક કડી જોડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!