Sunday, May 5, 2024
HomeGujaratમોરબી તાલુકામાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબી તાલુકામાં અપમૃત્યુનાં બે બનાવો

નવા જાંબુડીયા ગામે કારખાનામાં પતરા પરથી પડી જતા યુવાનનું મોત

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૪ના રોજ જગમલભાઇ લક્ષ્મણભાઇ કુવરીયા (ઉ.વ.૩૭, રહે. ત્રાજપર) નવા જાંબુડીયા ગામે નીલકોર બાથ કારખાનામાં પતરા પર કામ કરી રહ્યા હતા તે વખતે અકસ્માતે પડી જતા તેને પ્રથમ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં બાદમાં અચાનક તબિયત બગડતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં ડોકટરે તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

બંધુનગર ગામની સીમમાં નદીમાં માછલા પકડવા ઉતરેલ અજાણ્યા પુરુષનું ડુબી જતાં મોત

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૩નાં રોજ મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમાં આવેલ માટેલીયા નદીનાં પાણીમાં માછલી પકડવા ઉતરેલા આશરે ૩૦ થી ૩૫ વર્ષનાં અજાણ્યા પુરુષનું ડુબી જતાં મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃતકનાં જમણા હાથનાં બાવડા ઉપર ગુજરાતીમાં બાબુલાલ તથા અંગુઠા પાસ્ અવાચ્ય અંગ્રેજી અક્ષરો તથા તેની બાજુમાં અંગ્રેજીમાં R તથા નાગનું ચીત્ર ત્રોફાવેલ છે. તથા ડાબા હાથમાં ગુજરાતીમાં રાધેબાબા નામ ત્રોફાવેલ છે. હાલ મોરબી તાલુકા પોલીસે ડેડબોડીને મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની નોંધ કરી મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!