Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેરમાં સીરામીક કારખાનામાં અકસ્માતે મશીનમાં આવી જતા યુવકનું મોત : ઘુટુ ગામથી...

વાંકાનેરમાં સીરામીક કારખાનામાં અકસ્માતે મશીનમાં આવી જતા યુવકનું મોત : ઘુટુ ગામથી યુવકની લાશ મળી આવી

મોરબી જિલ્લામાં ગઈકાલે વધુ બે અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં વાંકાનેરમાં સીરામીક કારખાનામાં અકસ્માતે મશીનમાં આવી જતા યુવકનું મોત નીપજ્યું હતું. જયારે બીજા બનાવમાં ઘુટુ ગામથી ઉચી માંડલ જતા રોડ ઉપર આવેલ કેનાલમા સરજુ સીરામીકના કારખાનાની પાછળ કુલીંગ ટાવર સામેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, વાંકાનેરના કલર ટાઇલ્સ સીરામીક કારખાનામાં રાતાવીરડા ખાતે રહેતા મૂળ એમ.પી.નાં આકાશભાઇ કીશનભાઇ વાકેલ નામનો યુવક ગઈકાલે કલર ટાઇલ્સ સીરામીક કારખાનામાં કામ કરી રહ્યો હતો. ત્યારે અકસ્માતે મશીનમાં આવી તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લેઇ વાંકાનેર તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં, મોરબીના ફલેશ સીરામીકના કારખાનાના લેબર કવાટર ઉચી માંડલ ગામની સીમમાં રહેતા મુકેશ જુવાનસિંહ મંડલોય નામના યુવકની ગત તા-૨૦/૦૩/૨૦૨૩ ના રોજ બપોરના સમયે મોરબી તાલુકાના ઘુંટું ગામની સીમમાં ઘુટુ ગામથી ઉચી માંડલ જતા રસ્તા ઉપર આવેલ સરજુ સીરામીકના કારખાનાની પાછળના ભાગે આવેલ નર્મદા કેનાલમાથી કોઇપણ કારણોસર મૃત હાલતમા મળી આવતા સ્થાનિકોએ મોરબી તાલુકા પોલીસની ટીમને બનાવ અંગે જાણ કરતા તેઓએ સ્થળ પર પહોંચી મૃતદેહને પી.એમ. માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!