Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર : લાલપર ગામે ટાંકો જીનમાં રાખવા મામલે ત્રણ શખ્સોએ આધેડને માર...

વાંકાનેર : લાલપર ગામે ટાંકો જીનમાં રાખવા મામલે ત્રણ શખ્સોએ આધેડને માર માર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાનાં લાલપર ગામે રહી ચોકીદાર તરીકે કામ કરતાં જીવાભાઈ વશરામભાઇ મેર (ઉં.વ.૪૩) એ આરોપીઓ પુષ્પરાજસિંહ વાળા, ગીરીરાજસિંહ વાળા, અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૪નાં રોજ ફરિયાદી જીવાભાઈ લાલપર ગામની સીમમાં આવેલ સોપાન કોટેક્ષ જીનમાં ચોકીદારી કરતાં હોય ત્યારે આરોપીનો ટાંકે જીનમાં રાખવાની ફરિયાદીએ ના પાડેલ હોય જે બાબતે આરોપીઓએ તમે ટાંકો રાખવાની ના કેમ પાડો છો તેમ કહી ફરિયાદીને ગાળો આપી લાકડાનાં ધોકા વડે માર મારી જમણા પગે ફ્રેકચરની ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વાંકાનેર સીટી પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!